Tuesday, 10 March 2020

ઘઉં

ઓછા પિયતે પાકતી ઘઉંની જાત કઈ છે.?

ઓછા પાણીએ થતી બિનપિયત વિસ્તાર માટે ઘઉંની ભલામણ જાતો જીડબલ્યુ-૧ અને જીડબલ્યુ-૨ છે.

ઘઉંમાં નીંદામણ માટે કઈ કઈ દવા વાપરવી.

ઘઉંના પાકમાં નીંદામણ માટે પ્રિઈમરજન્સ તરીકે પેન્ડીમીથાલીન દવા ૦.૫૦-૧.૦ કિ.ગ્રા./હે. મુજબ આપવી અને વાવણી બાદ ૩૦ થી ૩૫ દિવસે હાથ નીંદામણ કરવું અથવા પોસ્ટ ઈમરજન્સ તરીકે ૨,૪ ડી સોડીયમ સોલ્ટ દવા ૦.૯૬ કિ.ગ્રા. /હે. વાવણી બાદ ૩૦ થી ૩૫ દિવસે તથા બે હાથ નીંદામણ કરવા.

ઘઉંમાં દાણા ભરાતા નથી તેનો ઉપાય જણાવો.

(૧) ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો ઉપયોગ પ્રમાણસર યોગ્ય સમયે અને યોગ્ય પધ્ધતિ વડે કરવો. (૨) પાકને કટોકટીની અવસ્થા પ્રમાણે અચૂક પિયત આપવું (૩) ઊધઈનો ઉપદ્રવ હોય તો ઉભા પાકમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવા ૫ લિટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી એક હેક્ટર વિસ્તારમાં/પૂંખીને હળવું પિયત આપવું. (૪) યોગ્ય સમયે નીંદામણ કરવું (૫) જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરાવી સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય તો તે ઉમેરવા (૬) સેન્દ્રિય ખાતરો નાખવા

ઘઉમાં કેટલા પિયત સુધી ખાતર નાખવુ?


ઘઉમાં પીળીયા રોગનુ નિયંત્રણ ?

(૧) ગેરૂ પ્રતિકારક જાત જેવી કે જીડબલ્યુ-૪૯૬,૩૨૨,૨૭૩,૧૭૩,૧૧૧,૩૯૩ નું વાવેતર કરવું (૨) રોગ દેખાય કે તરત મેન્કોઝેબ ૨૫ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૨ થી ૧૫ દિવસના ગાળે ત્રણ છંટકાવ કરવા.

ઘઉંના માર્કેટમાં ભાવ ઓછા મળે છે ?

ઘઉંની કાપણી બાદ ચારણા વડે ચાળી ગ્રેડિંગ કરી પેકિંગ કરવામાં આવે તો ભાવ વધુ મળે. ભાવમાં માંગ અને પુરવઠા મુજબ વધઘટ થતી હોય છે.

ઘઉમાં સબસીડી યોજના વિષે જણાવો

ઘઉમાં સબસીડી યોજના વિષયક માહિતી માટે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારીશ્રીનો સંપર્ક સાધવો.

Related Posts:

  • ગુજરાતની જમીન અને તેના પ્રકારો કાંપ ની જમીન (Alluvial soils ગુજરાતના પચાસ ટકા કરતા વધુ વિસ્તારમાં કાંપ ની જમીન આવેલી છે. કાંપ, રેતી અને માટીના પ્રમાણને ધ્યાનમાં રાખી કાંપની જમીનને બે ભાગમાં વહેચવામાં આવે છે. નદીના કાંપની જમીન (River alluvial land) આ જમી… Read More
  • ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે ‘સ્વચ્છ ભારત અભિયાન'નું મહત્વ કૃષિક્ષેત્રે ઉપલબ્ધ આંકડાઓ દર્શાવે છે કે, દેશની લગભગ ૧૨૦૭.૨ લાખ હેકટર જમીનનું ધોવાણને લીધે અને ૮૪ લાખ હેકટર જમીન ખારાશ અને પાણી ભરાઈ રહેવાની સમસ્યાઓને લીધે આ તમામ જમીનની ગુણવત્તામાં ઘટાડો થયો છે. બીજી બાજુ, આખા વર્ષ દરમ્યાન… Read More
  • ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી ધિરાણ હેતુ વ્યાજ દર: રૂ. ૧ લાખ સુધી ૧૨% વાર્ષિક રૂ. ૧ લાખથી ૩ લાખ સુધી ૧૩% વાર્ષિક રૂ. ૩ લાખથી ૫ લાખ સુધી ૧૪% વાર્ષિક રૂ. ૫ લાખથી વધારે ૧૫% વાર્ષિક બેંક દ્વારા નીચે મુજબના હેતુઓ માટે ધિરાણ કરવામાં આવે છે. નવાકુવા, ડગ- ક… Read More
  • સોઇલ હેલ્થ કાર્ડનું મહત્વ સોઈલ હેલ્થ કાર્ડ (Soil health card) જમીનનો પ્રકાર, જમીનમાં પોષક તત્વોની લભયતા, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાશ અને ભામિકતા વગેરે માહિતી મળે છે . છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન ગુજરાતને ખેતીમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે . પાક ઉત… Read More
  • ખેતી પાકોમાં ઉધઈનુ નુક્સાન અને તેનુ સંકલીત નિયંત્રણ ઉધઈ એક અગત્યની બહુભોજીય રાષ્ટ્રીય જીવાત છે. ઉષ્ણકટિબંધના પરદેશોમાં જમીનમાં રાફડો બનાવી રહેતી ઉધઈ શેરડી, મગફળી, કપાસ, ઘઉં, મકાઈ, ભીંડા, રીંગણ, મરચી, ફળઝાડ અને સુશોભનના વૃક્ષોમાં ખુબજ નુકસાન કરે છે. તેમજ મકાનમાં લાકડાના બારી-… Read More

0 Comments:

Post a Comment