Tuesday, 16 February 2021

મરચીના પાકમાં રોગ અને જીવાતનું નિયંત્રણ (Chili crop protection) Today News...

 



મરચીની જીવાતો  

થ્રિપ્સ

થ્રીપ્સ એક જાતની જીવાત છે જે છોડના પાન અને ફૂલમાંથી રસ ચૂસે છે જેથી કરીને પાકને નુકસાન થાય છે.

thrips

 

  • ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમીડાક્લોપ્રીડ ૧૦ મિ.લિ અથવા થાયામેથોક્ઝામ ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી બે કલાક બોળી રાખ્યા બાદ રોપણી કરવી.
  • ફેરરોપણી બાદ ૧૫ દિવસે છોડની ફરતે કાર્બોફ્યુરાન ૩જી દવા હેકટરે ૧૭ કિ.ગ્રા. આપવી.
  • ફેરરોપણી બાદ ૩૦ દિવસે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિ.લિ.અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામઅથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મિ.લિ. દવા ૧૦ લિટરપાણીમાં મિશ્ર કરી છાંટવી.

 

પાનકથીરી

pan-kathiri-1

  • લીંબોળીની મીંજમાંથી બનાવેલ ૫%નો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૪૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • ફેનાઝાકવીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ.અથવા ડાયફેન્થ્યુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવી.

 

 

 

મરચીના રોગો

કોકડવા

Chili leaf curl

  • ધરુવાડીયામાં કર્બોફ્યુરાનની માવજત આપવી.
  • ફેરરોપણી બાદ છોડની આજુબાજુ જમીનમાં કર્બોફ્યુરાનન ૩જી આપવી.
  • મરચીમાં કોકડવા થયેલ છોડનો ઉપાડીને નાશ કરવો.
  • કોકડવા સફેદમાખી વડે ફેલાતો રોગ હોઈ તેના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. દવાનો ૧૦ િલટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો

 

કાલવ્રણ અથવા પરિપક્વ ફળનો સડો

sado

  • મરચીમાં પિરપક્વ ફળનો સડો (કાલવણ) તથા સકારાના ુ રોગનો ફેલાવો બીજ દ્વારાથતો હોઈ થાયરમ અથવા કેપ્ટાન ૨ થી ૩ ગ્રામ કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપવી.
  • ફેરરોપણી બાદ ૨ મહિને કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા.

Related Posts:

  • મગફળી ચોમાસા ઋતુમાં મગફળીની કઈ જાતોની પસંદગી કરી શકાય ? ચોમાસા ઋતુમાં સમયસર વરસાદ થાય એટલે ૧પ મી જૂનથી ૩૦ સુધીમાં વાવણી લાયક વરસાદ થાય તો વેલડી  મગફળીની જાતો જેવી કે જીએયુ-૧૦, જીજી-૧૧ અને જીજી-૧૩  જાતો વાવી શ… Read More
  • નાળિયેરીની આધુનિક ખેતી પધ્ધતિ (કલ્પવૃક્ષ) લોક જીવનમાં લગ્નગીતોથી માંડી અને કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેતા નાળિયેરને શ્રીફળ શ્રી એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે. નાળિયેરીને "કલ્પવૃક્ષ" અથવા "સ્વર્… Read More
  • દિવેલા દિવેલાનું બિયારણ ક્યાંથી મળે? દિવેલાનું બિયારણ ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરીઓ ખાતેથી તેમજ 'અનુભવ સીડ્સ' બ્રાન્ડ નામે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૦૬૩૨૯) ખાતે સંપર્ક કરવો. દિવેલાની… Read More
  • તલ પાક આયોજન વધુ નફો મેળવવા તલ + કપાસ 3 : 1 ના પ્રમાણ માં અથવા 2 : 1 ના પ્રમાણ માં, તલ + ઉભડી મગફળી 3 : 3 ના પ્રમાણમાં, તલ + મગ 3 : 3 ના પ્રમાણમાં, તલ + વેલડી મગફળી 2 : 1 ના પ્રમાણમાં, વેલડી મગફળી + તલ 3 : 1 અથવા 2 : 1 ના પ્ર… Read More
  • સોયાબીન સોયાબીનની જાત વિષે માહિતી આપો. જવાબ : સોયાબીનની સારી જાત એન.આર.સી.-૩૭(અહલ્યા-૪) છે. સોયાબીનની માહિતી માટે કૃષિ સંશોધન કેન્દ્ર અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ ,દાહોદ પિન-૩૮૯૧૫૧ (ફોન: ૦૨૬૭૩-૨૪૫૬૪૯/૨૨૦૪૨૩) ખ… Read More

0 Comments:

Post a Comment